સુબીર તાલુકાના ચિખલી ગામના ખેડુત શ્રી અવશુભાઈ ચૌધરીએ પ્રાકૃતિક ખેતી પધ્ધતી અપનાવી ખેતીનો ખર્ચ ઘટાડ્યો

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સુબીર તાલુકાના ચિખલી ગામના ખેડુત શ્રી અવશુભાઈ ચૌધરીએ પ્રાકૃતિક ખેતી પધ્ધતી અપનાવી ખેતીનો ખર્ચ ઘટાડ્યો
ઝેરી દવાઓની આડઅસરથી બચવા તેમજ જમીન, પાણી, હવાને પ્રદુષણ મુક્ત બનાવવા પ્રાકૃતિક ખેતીનો અભીગમ અપનાવો – શ્રી અવશુભાઈ મન્યાભાઈ ચૌધરી
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: દેશના પ્રથમ પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર થયેલ ડાંગ જિલ્લાના ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતોને પ્રેરણારૂપ બન્યા છે. પોતાની મહેનત, ધગશ તથા સર્વજન હિતાયના વિચારબીજ થકી પ્રાકૃતિક ખેતી કરતા કિસાન વિવિધ પ્રકારની ખેતી કરીને ઉચ્ચ ગુણવત્તાયુકત ઉત્પાદન સાથે રાસાયણિક ખેતી કરતા વધુ નફો રળી રહ્યા છે.
ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના ચિખલી ગામના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડુત શ્રી અવશુભાઈ મન્યાભાઈ ચૌધરી, જેઓ એક પ્રગતીશીલ ખેડુત છે તેમણે પ્રાકૃતિક ખેતીનો અભિગમ અપનાવી અન્ય ખેડુતોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે.
શ્રી અવશુભાઇ ચૌધરી કે જેઓ આત્મા યોજનામાં જોડાયા બાદ “આત્મા” દ્વારા આયોજીત પ્રેરણા પ્રવાસમાં જુદીજુદી તાલીમો મેળવી પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરણા મેળવી, જાતે જ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરતા થયા છે.
પ્રાકૃતિક ખેતીમાં તેઓએ બાયો કલ્ચરનો ઉપયોગ શરૂ કર્યો. જમીનમાં ‘‘જીવામૃત’’ અને ‘’વેસ્ટ ડીકમ્પોઝર બનાવી પાક પર છંટકાવ કર્યો. આ પગલા લેવાથી તેઓની જમીન જીવીત થઇ, સાથે જ પ્રાકૃતિક ખેતી કરતા દવા ખાતર બિયારણનો ખર્ચ શુન્ય થયો છે, અને ખેતરમાં નિંદામણ અને ખેતી ખર્ચમાં પણ ઘટાડો થયો છે.
આમ, ચિખલી ગામના ખેડુત શ્રી અવશુભાઈ ચૌધરી કે જેમણે પ્રાકૃતિક ખેતી અપનાવી, સ્વયં પ્રગતીશીલ ખેડુત બની, અને ખેતીમાં વૈજ્ઞાનિક ખેતી પધ્ધતીનો અભિગમ અપનાવી અન્ય ખેડુતોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે.
શ્રી અવશુભાઈ ચૌધરી જણાવે છે કે, ઝેરી દવાઓની આડઅસરથી બચવા તેમજ જમીન, પાણી, હવાને પ્રદુષણ મુક્ત બનાવવા પ્રાકૃતિક ખેતીનો અભિગમ જરૂરી છે. (ચીખલી ગામના ખેડુત શ્રી અવશુંભાઈ મન્યાભાઈ ચૌધરી, ગામ-ચીખલી, તા.સુબિર, જિ.ડાંગ, સંપર્ક નંબર : ૯૪૦૮૩ ૦૧૯૦૨)