Breaking News
ડાંગના જુંનેર ગામે ગણેશ વિસર્જન વેળા પાણીમાં ડૂબી જવાથી એક આધેડનું મોત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગના જુંનેર ગામે ગણેશ વિસર્જન વેળા પાણીમાં ડૂબી જવાથી એક આધેડનું મોત:
દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના જુંનેર ગામે, પાણીમાં ડૂબી જવાથી એક ૬૫ વર્ષિય આધેડ વ્યક્તિનું મૃત્યુ થયાનું નોંધાયું છે.
સુબીર તાલુકા વિકાસ અધિકારી શ્રી મહેન્દ્ર હાથીવાલાના એક રિપોર્ટ અનુસાર, તાલુકાના જુંનેર ગામના રહેવાસી એવા ૬૫ વર્ષિય બુઝુર્ગ, નામે સીતારામ લાહનુભાઈ ચૌધરી, ધોધડ નદીના નવા પુલ પાસે સાંજે ૪:૩૦ વાગ્યાના સુમારે, ગણેશ વિસર્જન વેળાએ, પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા તેમની તપાસ અંગેની કામગીરી પૂર્ણ કરી, મૃત્યુ પામનારા બુઝુર્ગની લાશ પોસ્ટમોર્ટમ અર્થે સુબીર સ્થિત સી.એચ.સી.ખાતે મોકલવામાં આવી છે.