સાપુતારા માલેગામના ઘાટમાં લક્ઝરી બસ ખીણમાં ખાબકી,ઘટના સ્થળે બે બાળકોના મોત

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાપુતારા માલેગામના ઘાટમાં લક્ઝરી બસ ખીણમાં ખાબકી,ઘટના સ્થળે બે બાળકોના મોત
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા:રવિવારની રજા અને ડાંગ જિલ્લાનુ કુદરતી સૌંદર્યની મજા માણવા આવેલ સુરતની લક્ઝરી બસ સાપુતારા માલેગામના ફોરેસ્ટ રેસ્ટ હાઉસનો ઉપરનો જીવલેણ ઘાટના ખીણમાં ખાબકતા સાપુતારા પોલીસ તેમજ 108ની એમ્બુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગય હતી. અને બચાવ કાર્ય કર્યું હતું.
જાણવા મળેલી માહીતી મુજબ બસમાં ૬૫ જેટલા પ્રવાસીઓ હતા. ઘાયલ વ્યક્તિઓને નજીકના PHC સેન્ટર સાપુતારા ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ. તેમજ ગંભીર પ્રવાસીઓને શામગહાન CHC પર ખસેડવામાં આવ્યા હતા. અને બાકીના વધુ ગંભીર પ્રવાસીઓને આહવા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.