ડેડિયાપાડાની સોરાપાડા રેંજ ખાતે આર.એફ.ઓ.શ્રી રોહિત વસાવા દ્વારા વન કર્મીઓને હેલ્મેટ વિતરણ કરાયું

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડેડિયાપાડાની સોરાપાડા રેંજ ખાતે આર.એફ.ઓ.શ્રી રોહિત વસાવા દ્વારા વન કર્મીઓને હેલ્મેટ વિતરણ કરાયું
સર્જન વસાવા, નર્મદા: માર્ગ સલામતી માટે અને માર્ગ અકસ્માતમાં રક્ષણ થાય તે માટે ગુજરાત સરકારના કાયદાઓનું પૂરેપૂરું પાલન થાય તેવી સૂચનાઓ દરેક વિભાગને આપવામાં આવી છે, ત્યારે ડેડીયાપાડાના સોરાપાડા રેંજના આરએફઓ શ્રી રોહિત વસાવા દ્વારા પોતાની ઓફિસના 10 જેટલા વન કર્મચારીઓને તેમની સલામતી માટે અને માર્ગ અકસ્માતમાં રક્ષણ થાય તે માટે ગુજરાત સરકારના કાયદાઓનું પૂરેપૂરું પાલન થાય તેવી સૂચનાઓ પણ સખત શબ્દોમાં આપવામાં આવી સાથોસાથ ટ્રાફિક સપ્તાહ નિમિત્તે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની પણ અને તમામને હેલ્મેટ પહેરવાનો ફરજિયાત નિયમ બનાવવામાં આવ્યો છે જેને ધ્યાનમાં લેતા તમામ વન કર્મીઓને આર.એફ.ઓ. રોહિત વસાવા દ્વારા કર્મીઓને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.