South Gujarat

માંડવી રામજી મંદિરે તુલસી વિવાહનું ભક્તિભાવ માહોલ વચ્ચે  ભવ્ય  ઉજવણી કરાય:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

માંડવી રામજી મંદિરે તુલસી વિવાહનું ભક્તિભાવ માહોલ વચ્ચે  ભવ્ય  ઉજવણી કરાય.

સુરત જીલ્લાના માંડવી સુથારવાર ખાતે વર્ષો જુનું રામજી મંદિર આવેલ છે.  જેમાં ટ્રસ્ટી મંડળ અને ધર્મપ્રેમી ભાઈઓ/બહેનો દ્વારા  વર્ષોથી તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. 


જેમાં રામજી મંદિરે તુલસી માતાને શણગારવામાં આવ્યા હતા તથા વરપક્ષ તરફથી ભગવાન શ્રીકૃષ્ણનો વરઘોડો જાનેયાઓ સાથે   ઘોડા પર કાઢવામાં આવ્યો  હતો જેમાં નગરના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આનંદ ઉલ્લાસભેર જોડાઈને ડીજે ના તાલે ગરબે ઘુમયા હતા. રામજી મંદિર ખાતે શ્રીકૃષ્ણ ભગવાનનો વરઘોડો આવી પહોંચતા તુલસી માતા સાથે શાસ્ત્રોક વિધિ અનુસાર શ્રદ્ધા અને આસ્થા સાથે શ્રીકૃષ્ણ ભગવાનના વિવાહ તુલસી માતાજી સાથે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધર્મ પ્રેમી ભાઈઓમાં આનંદ ઉલ્લાસભેર જુમી ઉઠયાં હતાં.

પત્રકાર:  ઈશ્વરભાઇ સોલંકી માંડવી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button