Dang
ધારાસભ્ય વિજયભાઈ પટેલ ના હસ્તે કોઝ-વે પરથી તણાઈને મૃત્યુ પામનારના વારસદારને સહાય ચૂકવાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ
ધારાસભ્ય વિજયભાઈ પટેલ ના હસ્તે કોઝ-વે પરથી તણાઈને મૃત્યુ પામનારના વારસદારને સહાય ચૂકવાઈ:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ગત તારીખ ૨૬મી જુલાઇ, ૨૦૨૪ના રોજ ડાંગ જિલ્લાના ગાયખાસ-ચવડવેલ તરફ જતા રસ્તામાં કોઝ-વે ઓળંગતા, નદીના પ્રવાહમાં તણાઇ જવાથી મૃત્યુ પામનાર, ગાયખાસના રહિશ સ્વ. ઉમેશભાઈ અર્જુનભાઈ ઠાકરે, ઉ.વ.૩૫ના વારસદારને, રૂ. ૪ લાખની સહાય ચુક્વવામાં આવી છે.
કુદરતી આપત્તિને કારણે થયેલા આ મૃત્યુના કેસમાં મૃતકના વારસદાર તેમના પિતા શ્રી અર્જુનભાઈ હીરાજીભાઇ ઠાકરેને આ મંજૂર થયેલી રકમનો હુકમ ડાંગના ધારાસભ્ય-વ-વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એનાયત કરાયો હતો.