Breaking News

શામગહાન ખાતે સર્જાયો અકસ્માત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ યાત્રીઓ માટે જીવલેણ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ

શામગહાન ખાતે સર્જાયો અકસ્માત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ યાત્રીઓ માટે જીવલેણ:

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: આજરોજ સાપુતારા શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જીવલેણ અકસ્માત સર્જાયો છે. વારંવાર માર્ગ ઉપર જીવલેણ ઝંઝાવતા અકસ્માતો સર્જાતા હોય અકસ્માતોમાં ઘણા પરિવારોના ઘર ઉજડી જતાં હોય છતાં અધિકારીઓએ કોઈ પણ જાતની સુરક્ષા સંબંધિત કાર્યવાહી કરતાં નથી જે બન્યો ચિંતાનો વિષય.

મળતી માહિતી મુજબ સાપુતારાનો ઘાટ ઉતરીને સામાન ભરેલી ટ્રક GJ 09 U 1100 શામગહાન ગામ ખાતે ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક દુકાનમાં ઘુસી ગઈ હતી. ટ્રકની સામે આવનાર તમામને અડફેટે લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં એક વ્યકિતનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. દુકાન તથા તેમાં રહેલો સામાને પણ ઘણો નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘટનાની જાણ થતાં જ ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિશોરભાઈ ગાંવિત ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. ઘટના સંબંધિત કાર્યવાહી માટે પોલીસ અને આરોગ્યની સારવાર માટે કર્મચારીઓને આદેશ આપ્યા છે. તેમણે ગ્રામજનોને ઘટના સંબંધિત સહકાર માટે વિનંતી કરી હતી. ટ્રક ચાલક સહિત બે અન્ય વ્યક્તિઓ જે ટ્રકમાં હતાં તેઓ નશો કરેલી હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button