Gujarat
પંચાયત વિભાગના વિવિધ ૧૭ સંવર્ગની ૧૩,૩૩૧ જગ્યાઓમાં નિમણુક પત્રો અપાશે પંચાયતના ૩૦૦૦ મકાનો બાંધે:- પંચાયત મંત્રી મેરજા

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ
પંચાયત વિભાગના વિવિધ ૧૭ સંવર્ગની ૧૩,૩૩૧ જગ્યાઓમાં નિમણુક પત્રો અપાશે પંચાયતના ૩૦૦૦ મકાનો બાંધે:- પંચાયત મંત્રી મેરજા
રાજ્યમાં ૩૦૦૦ ગ્રામ પંચાયતના ૩૦૦૦ મકાનોના નિર્માણની કામગીરી તેમજ ૧૩,૩૩૧ જગ્યાઓમાં નિમણુક પત્રો અપાશે તેમ આજે બ્રિજેશ મેરજાએ કહ્યું હતું.
વધુમાં તેમણે કહ્યું હતું કે, પંચાયત વિભાગના છેલ્લા એક વર્ષ દરમિયાન થયેલા રોજગારી અને વિવિધ વિકાસ કામોની જાણકારી આપતા તેમણે જણાવ્યું કે રાજ્યમાં ૩૦૦૦ ગ્રામ પંચાયતના મકાનોના નિર્માણની કામગીરી, ૨૫૨ તાલુકા પંચાયતના અધિકારીઓ, પંચાયત વિભાગના વિવિધ ૧૭ સંવર્ગની ૧૩,૩૩૧ જગ્યાઓમાં નિમણુક અને આગામી સમયમાં વિવિધ સંવર્ગમાં નિમણૂંક પત્રો આપવામાં આવશે.
ગણેશ ચતુર્થી અને સંવંત્સરીના પાવન પર્વે સાક્ષર ભૂમિ નડિઆદની જનતાને રૂ. ૪૨.૩૦ કરોડના વિકાસ કામોની સોગાદ મુખ્યમંત્રીએ આપી હતી ત્યારે આ દરમિયાન બ્રિજેશ મેરજાની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જેમણે ઉપરોક્ત વાત કહી હતી.
આ સાથે વધુમાં જણાવતા બ્રિજેશ મેરજાએ કહ્યું કે, સંતરામ મહારાજની પાવન ભૂમિમાં અવતરેલા તમામ મહાપુરુષોને યાદ કરતા મંત્રીએ જણાવ્યું કે સરદાર સાહેબના એક ભારત થી શરૂ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈના શ્રેષ્ઠ ભારત સુધીની વિકાસ યાત્રામાં મુખ્ય મંત્રીના નેતૃત્વમાં વિકાસના અનેક આયામો સર કર્યા છે.
આ પ્રસંગે ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ જિલ્લાના પ્રભારી અને મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી મનિષાબેન વકીલ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, અગ્રણી ગોરધનભાઈ ઝડફીયાની ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ જિલ્લાના પ્રભારી અને મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી મનિષાબેન વકીલ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, અગ્રણી ગોરધનભાઈ ઝડફીયાની ઉપસ્થિતિ રહી હતી.