સાપુતારા-માલેગામ ઘાટમાં એસટી બસ અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાપુતારા-માલેગામ ઘાટમાં એસટી બસ અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: સાપુતારા શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘાટમાં એસટી બસ અને પેસેન્જર જીપ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં જીપમાં બેઠેલા 9 મુસાફરોને ઈજા પહોંચી હતી.
સાપુતારા-શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘાટમાં અમદાવાદથી નાસિક જતી એસટી બસ (નં. GJ-18-Z-8059)ને સાપુતારાથી વઘઈ તરફ જતી પેસેન્જર જીપ (નં.MH-15-AS-5495) ગફલતભરી રીતે હંકારી બસમાં અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જીપમાં સવાર પેસેન્જરોને ઇજા પહોંચતા શામગહાન સીએચસીમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં એકને ફ્રેકચર થતા આહવા રિફર કરાયા હતા. બનાવ અંગે એસટી બસનો ચાલક ભાવેશભાઈ આહીર દ્વારા જીપ ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા સાપુતારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.