Environment

ગંગપુર ખાતે પર્યાવરણ જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ગંગપુર ખાતે પર્યાવરણ જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો:

કમલેશ ગાંવિત, વાંસદા: કરોના માહમારી વખતે ઉભી થયેલી ઓક્સિજનની કમીને લઈ મનુષ્ય જીવનમાં પર્યાવરણ મહત્વનો ભાગ ભજવે છે તેથી પર્યાવરણ પ્રત્યે લોકોમાં હવે મહદઅંશે જાગૃતિ ફેલાઈ છે, ત્યારે આજરોજ ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત શ્રીયમ. એમ. પી. કાપડિયા વિદ્યામંદિર ખાતે પર્યાવરણ જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના નવસારી જિલ્લાના પર્યાવરણ ગતિવિધિ સંયોજક ડૉ. હરનીશ નાયક તેમજ સ્વધાય મંડળ કિલ્લા પારડીનાં શ્રી ભગીરથ દેસાઈ તેમજ સંસ્થાના મંત્રી સ્વામીશ્રી વિશ્વારૂપાનંદજી મહારાજ, સંસ્થાના શ્રી ભાવેશભાઈ પટેલ, શાળાના આચાર્ય શ્રી મણીલાલ
પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હિમ્મત ચૌહાણ, સ્ટાફ મીત્રો ઉપસ્થીત રહ્યા હતા.

આ પ્રસંગે ડૉ.હરનીશ નાયકે પર્યાવરણ રક્ષણ કેવી રીતે કરી શકાય અને પ્લાસ્ટિક એવરનેશ વિશે માહિતી આપી. બાળકોને પ્રોજેકટર પર પર્યાવરણની જાળવણી માટેની માહિતી આપી હતી. ત્યારબાદ વૃષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમના અંતે તમામ મહેમાંનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને તમામ વિધાર્થી તથા સ્ટાફ મીત્રોને તેનાં જતન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button