ગિરિમથક સાપુતારા મેઘ મલ્હાર પર્વ -૨૦૨૪ વિવાદોની વચ્ચે પુર્ણ :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ
ગિરિમથક સાપુતારા મેઘ મલ્હાર પર્વ -૨૦૨૪ વિવાદોની વચ્ચે પુર્ણ :
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જીલ્લાની ગીરી કંધરાઓ વચ્ચે આયોજિત સાપુતારા મેઘ મલ્હાર પર્વ -૨૦૨૪ પ્રારંભથી જ વિવાદોના વંટોળમાં ફસાયેલો જોવા મળ્યો હતો. કાર્યક્રમના ઉદ્દઘાટન વખતે જ મંત્રીશ્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં એકબાજુ સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમો ચાલી રહ્યાં હતાં. અને અચાનક AC માં શોર્ટસર્કિટનાં કારણે ભગદડ મચી જવા પામી હતી. જેને લઈ ને મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪ માં ઉપયોગમાં લેવામાં આવેલ સાધનો વસ્તુઓ પર ગુણવત્તા લક્ષી પ્રશ્નાતની લાંબી લીટી ખેંચાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યનો ખ્યાતિ પામેલ દેશ દુનિયામાં બહુચર્ચિત સાપુતારા મેઘ મલ્હાર પર્વ જિલ્લાના કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને મોહક આકર્ષક સાથે મંત્રમુગ્ધ કરી દેતો હોય છે. ગુજરાત રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે ૨૦૦૯ થી મેઘ મલ્હાર પર્વની ઉજવણી સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહી છે. જિલ્લાનું ખીલી ઉઠેલું કુદરતી સૌંદર્ય ચોમાસાની ઋતુમાં માનવી માટે નયન રમણીય, આરામદાયક અને માનવીને મોહીત કરી નાખે તેમ ઉમદા કુદરતી સૌંદર્ય મોહક બની જાય છે, પ્રવાસીઓ પ્રાકૃતિક જિલ્લાની મુલાકાતે આકર્ષાઈને કુદરતના ખોળે શાંતિની પળો માણવા આવતા હોય છે. જેથી ચોમાસાની ઋતુ દરમિયાન મેઘ મલ્હાર પર્વની એક માસ જેટલાં લાંબા સમય સુધી આયોજન કરવામાં આવતું હોય છે.
સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪ ખાલી નામ પુરતી જાહેરાતો કરી શનિ-રવિમા જ આયોજકો દ્વારા ચિલાચાલુ કાર્યક્રમો કરી મોટો વિવાદનો શુર છેડ્યો હતો. વિવાદોનો ભભકારો ઉઠતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ ગુજરાત રાજ્યના પુર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાએ પણ મેઘ મલ્હાર પર્વનું આયોજન બાબતે કટાક્ષ કરીને મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪ ને બદનામ અને કલંક ન લાગે તેવી બાબતો પર આયોજકોને ધ્યાન રાખવા જણાવેલ હતું. છતાં આયોજકો સમગ્ર બાબત ઘોળીને પી ગયા હોય તેવાં પોતાના મિથ્યાભિમાનમા જ તરાયેલા જોવા મળ્યા અને આયોજકોએ આદેશોનો પણ પાલન ન કર્યું.
શનિ-રવિના કાર્યક્રમમાં રજુ કરાયેલા કાર્યક્રમો પણ કંઈક અંશે વિવાદ મા સપડાયા હતા, આ સમગ્ર ખરાબ અને મિસ મેનેજમેન્ટ દ્વારા મેઘ મલ્હાર પર્વ પર અસર જોવા મળી હતી. રાત્રીના સમયે શનિ-રવિ ના સાંસ્કૃતિક કાર્યક્રમોમા પણ ખુરશીઓ ખાલી જ જોવા મળી હતી. મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪ ની મોજ માણવા આવેલ પ્રવાસીઓ નારાજગી વ્યક્ત કરી નીરાશા સાથે પાછા ફર્યા હતા.
એક મહિના ચાલેલ મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪ માં પ્રવાસીઓને પીવાનાં પાણીની પણ સુવિધા ન મળતાં પ્રવાસીઓ ખૂબજ નારાજી વ્યક્ત કરી હતી. સરકારી રૂપિયાનો દુર વ્યય થતો હોવા છતાં તમામ અધિકારીઓ અને વહીવટીતંત્ર આંખે પાટા બાંધીને કેમ મુક દર્શક બની બેઠા તે નવાય પમાડે તેમ હતું.