વિજયભાઈ પટેલના હસ્તે શિવારીમાળ ગામમાં વાવાઝોડાના અસરગ્રસ્તને પતરાનુ વિતરણ કરાયું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
વિજયભાઈ પટેલના હસ્તે શિવારીમાળ ગામમાં વાવાઝોડાના અસરગ્રસ્તને પતરાનુ વિતરણ કરાયું:
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લામાં મે મહિનામાં આવેલ વાવાઝોડુ લોકો માટે દુષ્કાળીયો કાળ સમાન બન્યો હતો અને સાથે સાથે કમોસમી વરસાદને કારણે શિવારીમાળ ગામે જે હોનારતમાં જે ઘરોને નુકશાન થયું હતું. તેની પુરતી માટે લોકોને મદદરૂપ થઈ શકાય તેના માટે ધારાસભ્ય વિજય પટેલના હસ્તે અસરગ્રસ્તોને પતરાનું વિતરણ કરાયું છે.
દક્ષિણ ડાંગ વન વિભાગના ડીએફઓ સાથે સંકલન કરી વનલક્ષ્મી યોજનાની ગ્રાન્ટમાંથી શિવારીમાળના ૧૦૦ થી વધુ પરિવારોને સિમેન્ટના પતરા વિતરણ કર્યા છે.
એક તરફ વરસાદની શરૂઆત થઈ ગઈ તેવામાં વાવાઝોડાના કારણે ઘરોને થયેલ નુકસાનની પુર્તતા કેમ કરવી તેની ચિંતા ગરીબ આદિવાસીઓ કરી રહ્યા હતા. ચોમાસું નજીક આવતા ખેતી માટે બિયારણ ખાતર, ખેતર ખેડવાનું શાળામાં અભ્યાસ કરતા તેમના બાળકોનો અભ્યાસીક ખર્ચાઓ જેવા ઘણાં બધાં નાના મોટા ખર્ચા વધારે હોય સહાય મળતા ખર્ચનો ઓછો ભાર થતા તમામ ગ્રામજનોએ અને વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત પરિવારોએ ધારાસભ્ય વિજય પટેલ તેમજ વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.