સાપુતારા-માલેગામ ઘાટ માર્ગમાં રસ્તાની બાજુમાં પડેલા ખાડા પોલીસે પુર્યા

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ
સાપુતારા-માલેગામ ઘાટ માર્ગમાં રસ્તાની બાજુમાં પડેલા ખાડા પુરાણ કરવામાં આવ્યા
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: શનિ-રવિની રજાઓમાં સાપુતારાની સહેલગાહે હજારોની સંખ્યામાં જનમેદની ઊમટી પડતી હોય છે. તેવા સંજોગોમાં સાપુતારા-માલેગામ ઘાટ માર્ગ હર હંમેશા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે પ્રવાસીઓના સુરક્ષા હેતુલક્ષી સાપુતારા પી.એસ.આઈ એન.ઝેડ ભોયા પોલીસ સ્ટાફને લઇ હર હંમેશા શનિ-રવિમાં સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં ખડેપગે ઉભા રહી ટ્રાફિક જામની સર્જાતી સ્થિતિને સુલઝાવતા રહે છે. તેવામાં એમને જોયું કે ટ્રાફિક થઇ જવાથી વાંકા ચુકા વળાંક રસ્તાઓની બાજુમાં મોટા-મોટા પડેલા ખાડાઓથી પ્રવાસીઓની ગાડીઓ સ્લીપ ખાઇ ઊંડી ખીણમાં પટકાય તેવી પ્રબળ શકયતા રહી હતી. અને ઘાટ માર્ગમાં ચઢતી વેળાએ રસ્તાની બાજુમાં પડેલા ખાડાઓથી નાની ગાડીઓના ચેચીસના નીચેના ભાગે લાગી જવાથી પ્રવાસીઓને ખાડાઓથી પસાર થવા ઘણી તકલીફો વેઠવાનો વારો આવ્યો હતો. તેવા સંજોગોમાં સાપુતારા-માલેગામ ઘાટ માર્ગમાં પ્રવાસીઓના સુરક્ષાને ધ્યાનમાં સાપુતારા પી.એસ.આઇ એન.ઝેડ ભોયા પોતાનો સ્ટાફ લઇ જે.સે.બી. અને ટ્રેકટરો લઇ ઘાટમાં યુ ટર્ન વળાંકો ઉપર મોટા-મોટા પડેલા ખાડાઓ પુરાણ કરી સરાહનીય કામગીરી કરવામાં આવી.