વિશ્વ ચકલી દિન: મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા પક્ષી સંરક્ષણ માટે લોકજાગૃતિ અભિયાન

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
વિશ્વ ચકલી દિન: મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા પક્ષી સંરક્ષણ માટે લોકજાગૃતિ અભિયાન
ગ્રામીણ ટુડે, ભરૂચ: મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના સંસ્થાપકોની હાજરીમા પક્ષી સંરક્ષણ માટે પ્રકૃતિમૈત્રી દ્રષ્ટિકોણ અપનાવવા અને ચકલીઓ માટે અનુકૂળ પર્યાવરણ ઊભું કરવા માટે આજે વિશ્વ ચકલી દિનની ઉજવણી અંતર્ગત તા. 20 મી માર્ચ,2025 ને ગુરુવાર ના રોજ નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે પક્ષી સંરક્ષણ માટે લોકજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજના કાર્યક્રમમાં ભરૂચ ભા.જ.પા.ના જિલ્લાધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ મોદીના વરદ હસ્તે પક્ષીઓ માટે દાણા અને પાણી માટે માટીના કુંડા વિતરણ કાર્યક્રમનું શુભારંભ કરવામાં આવ્યું. શાળા આચાર્ય શિક્ષણવિદ્ ડૉ.મહેશભાઈ ઠાકર સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ પ્રસંગે નિવૃત શિક્ષણાધિકારી કલ્પનાબહેન ઉનડકટ ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
વિશેષ રૂપે આજના કાર્યક્રમમા ભરૂચ કિન્નર સમાજના નાયક કોકિલા કુંવરના અનુગામી શિષ્યા દીપા માસી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. 250 જેટલા શિક્ષકો, વાલીઓ, નાગરિકો અને આમંત્રિત મહેમાનોની ઉત્સાહી હાજરીમાં આ સંવેદનાત્મક કાર્યક્રમ યોજાયો હતો.
મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના સંસ્થાપકોએ પક્ષી સંરક્ષણ માટે પ્રકૃતિમૈત્રી દ્રષ્ટિકોણ અપનાવવા અને ચકલીઓ માટે અનુકૂળ પર્યાવરણ ઊભું કરવા માટે જનજાગૃતિના સંદેશ સાથે આ અભિયાનને સમર્પિત કર્યું હતું.