સાપુતારા ઘાટમાર્ગની ખીણમાં ટ્રક ખાબકતા ચાલક-ક્લીનરનું મોત

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાપુતારા ઘાટમાર્ગની ખીણમાં ટ્રક ખાબકતા ચાલક-ક્લીનરનું મોત
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારે વાહનો માટે દિવસેને દિવસે ગોઝારો સાબિત થતો જાય છે. રવિવારે મહારાષ્ટ્રથી ખેડા જિલ્લામાં ખાંડનો જથ્થો ભરી જઈ રહેલ ટ્રક ઊંડી ખીણમાં ખાબકતા ચાલક અને ક્લીનરનું મોત નીપજ્યું છે. રવિવારે સવારે સાપુતારા માલેગામ ઘટમાર્ગમાં મહારાષ્ટ્રથી ખાંડનો જથ્થો ભરી ખેડા જઈ રહેલા ટ્રક નં GJ 19 U 4485 ના ચાલક ઈશ્વર ધીરુ તરસરિયા ઉ. 28 એ પોતાના તાબાની ટ્રકને પુરપાટ અને ગફલતભરી રીતે હંકારી સાપુતારા માલેગામ ઘાટના યુટર્નમાં ઊંડી ખીણમાં ખાબકતા ટ્રકનો કચ્ચરઘાણ થવા સાથે ચાલક ઈશ્વર ધીરુ તરસરિયાં (ઉ.28, રહે.ક્શાણા, તા.મહુવા, જિ.ભાવનગર) અને ક્લીનર સંજય સવજી ગોહિલ (ઉ.30, રહે.ગુંદરણા)નું ટ્રકની કેબીનમાં ફસાઈ જઈ ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.