Political

ગુલામ નબી આઝાદે બનાવી “ડેમોક્રેટિક આઝાદ પાર્ટી” બોલ્યા- અમારી કોઈ સાથે રાજકીય દુશ્મની નથી : 

અમારી પાર્ટીની વિચારધારા ગાંધીની વિચારધારા છે. અમારી નીતિઓ જાતિ અને ધર્મથી પ્રેરિત નહીં હોય. રાજનીતિમાં આપણી સામે બધા ધર્મો પ્રત્યે આદર અને સન્માન છે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ

ગુલામ નબી આઝાદે બનાવી “ડેમોક્રેટિક આઝાદ પાર્ટી” બોલ્યા- અમારી કોઈ સાથે રાજકીય દુશ્મની નથી : 

તેમણે કહ્યું કે પાર્ટીનું નામ ડેમોક્રેટિક આઝાદ પાર્ટી છે. પાર્ટીની પોતાની વિચારસરણી હશે, તે કોઈનાથી પ્રભાવિત થશે નહીં. આઝાદનો અર્થ હોય છે સ્વતંત્ર. નીચેથી ચૂંટણી થશે અને એક હાથમાં સત્તા નહીં હોય : 

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને મજબૂત નેતા ગુલામ નબી આઝાદે આજે તેમની નવી પાર્ટીના નામની જાહેરાત કરી દીધી છે. તેમણે પોતાની નવી પાર્ટીનું નામ ડેમોક્રેટિક આઝાદ પાર્ટી રાખ્યું છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે હું મારી પાર્ટીની જાહેરાત પહેલા કરવા માંગતો હતો, પરંતુ નવરાત્રિના શુભ અવસર પર હું આ પાર્ટીની શરૂઆત કરી રહ્યો છું.

તેમણે કહ્યું કે પાર્ટીનું નામ ડેમોક્રેટિક આઝાદ પાર્ટી છે. પાર્ટીની પોતાની વિચારસરણી હશે, તે કોઈનાથી પ્રભાવિત થશે નહીં. આઝાદનો અર્થ હોય છે સ્વતંત્ર. નીચેથી ચૂંટણી થશે અને એક હાથમાં સત્તા નહીં હોય અને જે અમારું સંવિધાન હશે એમાં સંપૂર્ણ લોકશાહીના આધારે જોગવાઈ હશે. જમ્મુ-કાશ્મીરના લોકો અને મીડિયાકર્મીઓ અમારી પાર્ટીનું નામ જાણવા ઉત્સુક હતા. જમ્મુ-કાશ્મીરની પાર્ટીનું નામ રાખવું મુશ્કેલ હોય છે.

જમ્મુ અને કાશ્મીરમાં વિવિધતા

અહીં વિવિધતા છે. 2 વિભાગો છે અને તેમાં નાના વિસ્તારો છે જેમાં અલગ-અલગ રિવિઝન હતા અને નામ એવું હોવું જોઈએ કે જે દરેક વ્યક્તિ સમજી શકે. જમ્મુના લોકોએ કાશ્મીરના લોકોએ જે ગામમાં રહે છે એમને પણ નામ સમજાવું જોઈએ. દેશભરમાંથી મને લગભગ દોઢ હજાર જેટલા નામો મળ્યા છે, જેમાં કેટલાક ઉર્દૂમાં, કેટલાક હિન્દીમાં, પરંતુ હું ઇચ્છતો હતો, જેમ કે પંડિત જવાહરલાલ નેહરુએ કહ્યું હતું, જે ઉર્દૂ અને હિન્દીનો સમન્વય હોય જેને હિન્દુસ્તાની કહેવામાં આવે છે. 

પાર્ટીની વિચારધારા ગાંધીની વિચારધારા છે

અમે અમારા સાથીઓ સાથે વિચાર કરીને આ પાર્ટીની રચના કરી છે અને અન્ય કોઈ પાર્ટીને આ પાર્ટી વિશે કોઈન ખબર નથી. કોઈપણ પક્ષ અમારી વિચારસરણીને પ્રભાવિત કરી શકે નહીં. અમારી પાર્ટીની વિચારધારા ગાંધીની વિચારધારા છે. અમારી નીતિઓ જાતિ અને ધર્મથી પ્રેરિત નહીં હોય. રાજનીતિમાં આપણી સામે બધા ધર્મો પ્રત્યે આદર અને સન્માન છે. અમે તમામ પક્ષોનું સન્માન કરીએ છીએ. અમારી કોઈની સાથે રાજકીય દુશ્મની નથી. અમારે અમારા મનની વાત કરવી છે અને કોઈ નેતા વિરુદ્ધ બોલવું નથી.

જેની પાસે કંઈ નથી હોતું તેઓ અપશબ્દો બોલે છે

અમારી પાસે લોકોને આપવા માટે ઘણું છે અને જેમની પાસે લોકોને આપવા માટે કંઈ નથી, તેઓ અપશબ્દો બોલે છે. હું જમ્મુના લોકોને પણ અપીલ કરું છું કે તેઓ તેમની વચ્ચે જે દીવાલ બનાવવામાં આવી છે એ દિવાલ તોડવાનો પ્રયાસ કરે. કલમ 370 નાબૂદ કર્યા પછી, જ્યારે હું જમ્મુ કાશ્મીર આવ્યો ત્યારે અહીં પરિવહન સમાપ્ત થઈ ગયું હતું, દુકાનો સમાપ્ત થઈ ગઈ હતી, 70% ઉદ્યોગ બંધ થઇ ગયા હતા. આવું કેમ થયું તે અંગે મેં પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તેમનો મોટાભાગનો સામાન શ્રીનગર જતો હતો. અમારા લોકોને સાંબા કઠુઆ અને જમ્મુમાં જ વેપાર મળે છે જો એ બંધ થઈ જાય તો કાશ્મીરમાં તેની અસર પડશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button