નિંબારપાડા ગામ બમભમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું, મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પાંચ હજાર શિવ ભક્તો ભક્તિના રંગે રંગાયા

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
નિંબારપાડા ગામ બમભમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું, મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પ્રથમ દિવસે પાંચ હજાર શિવ ભક્તો ભક્તિના રંગે રંગાયા
દિનકર બંગાળ, વઘઈ : ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકામાં આવેલ નિંબારપાડા ગામ ખાતે મહાશિવરાત્રીનો પર્વ નિમિત્તે ચાર દિવસીય ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પ્રથમ દિવસે પાંચ હજારથી વધુ શિવભક્તોએ ભાગ લીધો હતો.
બાંધકામ ખાતાના અધ્યક્ષશ્રી ચંદરભાઈ દ્વારા ડાંગ જિલ્લાના તમામ શિવભક્તો મોટી સંખ્યામાં નિંબારપાડા ગામ ખાતે શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે કાર્યક્રમમાં ભાગ-લે તેનાં માટે ડાંગ જિલ્લાના શિવ ભક્તોને ખુલ્લુ આમંત્રણ આપવામાં આવ્યું છે.
કાર્યક્રમની શરૂઆત ભજન કીર્તન સાથે કરવામાં આવી હતી. ત્યારઉપરાંત મહા આરતી સાથે મહા પ્રસાદનુ પણ શિવ ભક્તોએ રસપાન કરાવ્યું હતું. ત્યાર પછી હરિપાઠ સાથે ભારોડનો પણ લાહવો શિવ ભક્તોએ લીધો હતો.
કાર્યક્રમમાં જિલ્લાના બાંધકામ ખાતાના અધ્યક્ષશ્રી ચંદરભાઈ, ગામના સરપંચ, ગામના આગેવાનો, વડીલો તથા નાના-મોટા તમામ અગ્રણીઓ સાથે શિવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.