Exclusive VisitGujarat

નિઝર તાલુકાના ગ્રામ પંચાયતોમાં વિપુલ પ્રમાણમાં થતાં ભષ્ટ્રાચારની તપાસ બાબતે અદાવતનો આરોપ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર     

ગુજરાત સરકાર પોતાના પારદર્શક વહીવટ અને સ્વચ્છ વહીવટ માટે દાવાઓ કરે છે, પરંતુ જયારે વાડ જ ચીબડા ગળી જય તો ફરિયાદ કોને કરવી ?  આવો જ ઘાટ નિઝર તાલુકા પંચાયતનો છે… આવો આરોપ લાગી રહ્યો છે!  અધિકારીઓ સરકારી ગ્રાન્ટ નો વ્યય થવાની ઊંડી તપાસ કરે તો સત્ય બહાર આવે તેમ છે, 

નિઝર તાલુકાના તમામ ગ્રામ પંચાયતોમાં વિપુલ પ્રમાણ ભષ્ટ્રાચારની ઉડાણ ની તપાસ કરવા અને નિઝર તાલુકો BTS સંગઠનના પ્રમુખને ખોટી રીતે બદનામ કરવા બાબતે આવેદનપત્ર અપાયું:

તાપી: ભીલીસ્થાન ટાઈગર સેના વ્યારા તાલુકા તરફથી આજ રોજ આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યું હતું  કે નિઝર તાલુકાના તમામ ગ્રામ પચાયતમાં રેતી કંકર ની ગ્રાન્ટ, મનરેગા યોજના હે ઠળ કેટલશેડ, સૌચાલય, લેબરની ગ્રાન્ટ, નાણાપંચ ગ્રાન્ટ, ATVT ની ગ્રાન્ટ, MP/MLA ની ગ્રાન્ટ, ટ્રાયબલ ની ગ્રાન્ટ, ગુજરાત પેટનની ગ્રાન્ટ, સરકારશ્રી તરફથી મળેલ તમામ વિકાસના કામોની ગ્રાન્ટોમાં વિપુલ પ્રમાણમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કામો થયેલા જણાતા નથી. નિઝર તાલુકાની તમામ ગ્રામ પંચાયતમાં વિપુલ પ્રમાણમાં ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે. વારંવાર સ્થાનિક પ્રેસ મીડિયા અને ઈલેક્ટ્રીક મીડિયા દ્વારા ભ્રષ્ટાચાર પ્રકાશમાં આવે છે. છતાં સ્થળ તપાસ કરવામાં આવેલ નથી. આ તમામ બાબતોની વહીવટી તંત્રને જાણ હોવા છતાં તંત્રનિંદ્ર—પયુ છે. અને કોઈ પણ જાતની દેખરેખ કે તપાસ કરવામાં આવતી નથી. પણ તંત્ર ભ્રષ્ટાચાર પર ફોકસ કરતાં ઈસમોને મુશ્કેલી પેદા કરે છે અને તાલુકાનું કોઈ ઈસમ માહિતી અઘિકાર ૨૦૦૫ નો ઉપયોગ કરી આ ભ્રષ્ટ તંત્રની માહિતી માંગે છે ત્યારે તેમને અપૂરતી અધૂરી અને સંતોષકારક માહિતી આપવામાં આવતી નથી. અને બીજુ કે ઘણી વખત વેલ્દા ગામ પંચાયતમાં વિવિધ યોજનાઓમાં ભ્રષ્ટાચાર થયાનું ટીવી ચેનલ, યુટયુબ ચેનલ, વર્તમાન પત્રમાં આવ્યુ છતાં તંત્ર તપાસ કરી લોક હિતમાં કામ કરવાને બદલે તંત્ર આંખ આડા કાન કરી રહયુ છે અને વહીવટીતંત્ર પણ ભ્રષ્ટાચારને ગંભીરતાથી લેતું નથી.

બીજું કે નિઝર તાલુકાના તમામ સરપંચો ભ્રષ્ટાચાર કરવાથી લથ પથ છે, જે બાબતે તાલુકાના લોકહિતમાં આર.ટી.આઈ. ૨૦૦૫ નો ઉપયોગ કરનાર પર માહિતીનો ગેરઉપયોગનું આવેદનપત્ર આપેલ છે. જે પોતાના ભ્રષ્ટાચારને છુપાવાનું ષડયંત્ર છે. અને આર.ટી.આઈમાં હંમેશા જવાબો અધૂરા અપૂરતા અને સંતોષકારક આપવામાં આવતા નથી તાલુકામાં આર.ટી.આઈ ૨૦૦૫ ના અધિનિયમને પણ ઘોઈને પીજાય છે. નિઝર તાલુકાના બી.ટી.એસના પ્રમુખ સમીરભાઈ જનકભાઈ નાયક પર સરપંચો અને સરપંચ એસોશીએશન જે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે તે તથ્યહીન આરોપો છે. એમાં નિઝર તાલુકાના સરપંચ એ તા.૧૦/૦૫/૨૦૨૧ અને તા. ૧૨/૫/૨૦૨૧ ના રોજ આપવામાં આવેલ આવેદનપત્રની અમારી હાજરીમાં સરપંચોની સહીઓ ઓરીજનલ છે, કે ડુપ્લીકેટ? તેનું વેરીફાઈ કરવામાં આવે બી.ટી.એસના સંગઠન માંગણી કરીએ છીએ. જે અમને શંકા સેવાઈ રહી છે અને ઉપરોરત તમામ માગણીઓ તાત્કાલિક વહેલી તકે નિરાકરણ ન આવે તો અમો બી.ટી.એસ સંગઠનના કાર્યકરો તથા આગેવાનો રોડ પર ઉતરી જન આંદોલન કરવામાં આવશે. તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહશે. આપ સાહેબશ્રી નોંઘ લેવા જાણ કરીએ છીએ..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button