સોનુનીયા ગામના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ અપાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સોનુનીયા ગામના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ અપાઈ:
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેમજ વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરાય રહ્યા છે.
તાજેતરમાં ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના શામગહાન ક્લસ્ટરમાં સમાવિષ્ટ સોનુનીયા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ હતી. જેમાં કુલ-૨૮ ખેડુતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટના માસ્ટર ટ્રેનર શ્રી યંશવતભાઇ સહારે અને શ્રી મહેશભાઈ એસ ભોયેદ્વારા પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, વાફસા, ખાટી છાસ, ગૌ મૂત્ર, રાખના ઉપયોગ વિશે ખુબ ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. તેમજ તમામ લોકોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.