South Gujarat

ખાંભલા ગામે ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ખાંભલા ગામે ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો:

રિપોર્ટર, કમલેશ ગાંવિત, વાંસદા: તા. 20 ઓક્ટોબર ના રોજ ભારત સેવાશ્રમ સંઘ આયોજીત અને પ્રેમ પ્રકાશ આશ્રમનાં સહયોગથી ખાંભલા ગામે ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો .

જેમાં 1000 જેટલાં વિવિધ ગામોના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા આજના આયોજિત કાર્યક્ર્મમાં સુરત ભારત સેવાશ્રમ સંઘનાં સ્વામીજી અંબરિષાનંદ મહારાજ, ભારત સેવાશ્રમ સંઘ ગંગપુરનાં સ્વામી શ્રીવિશ્વારૂપાનાંદજી મહારાજ, સુરતના પ્રેમ પ્રકાશ આશ્રમનાં નારાયણ દાસ ગંગવનીજી તેમજ નંદકિશોરભાઈ રાહુલ ભાઈ ગંગવની તેમજ સુરત થી પધારેલા બ્રહ્મા કુમારીની બહેનો, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશ દેસાઈ, ઉપપ્રમુખ અંબાબેન માહલા, ખાંભલા ગામના જીલ્લા પંચાયત નવસારી નાં ન્યાય સમિતિનાં અધ્યક્ષ, સરપંચશ્રી અનિલ ચવધરી તેમજ આજબાજુના ગામના સરપંચો, સંસ્થાના નિમેષ વ્યાસ, રાજુભાઈ, ભાવેશભાઇ તેમજ સ્ટાફ મિત્રો પણ ઉપસ્થિત રહ્યાં હતા.

આજના કાર્યક્રમ માં કુલ 1000 જેટલાં વિવિધ ગામોના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા આ પ્રસંગે તમામ લાભાર્થી મીત્રો તેમજ ગ્રામજનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે ખાંભલા વર્ગ શાળા નાં બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી કાર્યક્ર્મ મી શોભા વધારી હતી.

કાર્યક્ર્મમાં શાળાનાં આચાર્ય ભાવેશ ગાંવિત તેમજ વર્ગ શાળાનાં તમામ સ્ટાફ મીત્રો નો ખુબ સહયોગ રહ્યો હતો. તથા ગામનાં અગ્રણી બાપજીભાઈ અને સરપંચ અનીલભાઈ નો ખુબ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે આશ્રમ સ્ટાફ સ્કૂલ સ્ટાફે ખુબજ જેહમત ઉઠાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button