South Gujarat

આહવા સર્કીટ હાઉસ ખાતે હર ધર તિરંગા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

આહવા સર્કીટ હાઉસ ખાતે હર ધર તિરંગા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાનાં આહવા ખાતે આવેલ સર્કિટ હાઉસ ખાતે ગતરોજ 11 કલાકે ભાજપનાં ડાંગ જિલ્લા પ્રભારીમંત્રી રાજેશ દેસાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ ગાવિતની અધ્યક્ષતામાં અગામી તા 9-8-2024 થી 15 મી ઓગસ્ટ 2024 સુધી યોજાનારા તિરંગાયાત્રાનાં અનુસંધાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. 

જેમાં ડાંગ ભાજપ રાજેશ દેસાઈએ જણાવ્યું હતું કે આપણે અંગ્રેજોના ગુલામીનાં દિવસો વિશે જાણતાં જ છે મહાત્માં ગાંધીની આગેવાનીમાં આપણાં કેટલા બધા સ્વતંત્રસેનાનીઓએ જીવ ગુમાવ્યાં છે. અને ક્રાંતિકારીઓએ શહીદી વહોરી છે. સ્વંત્રતા આપણને આમ જ નથી મળી જે આજનાં યુવાપેઢીને ખબર પડે બધા તહેવારોથી દેશનો પર્વ સર્વોપરી છે. જેની જાણ થાય તેનાં માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની ભાજપ દરેક ઘરમાં દેશનો તિરંગો લહેરાવી, તિરંગાયાત્રા યોજી વિવિધ કાર્યક્રમો થવાનાં છે. 

આ પત્રકાર પરિષદમાં ડાંગ જિલ્લા ભાજપનાં પ્રભારીમંત્રી રાજેશ દેસાઈ, પ્રમુખ કીશોર ગાવિત મહામંત્રી હરિરામ સાવંત રાજુભાઈ ગામિત અને ગુજરાત આદિજાતી મોર્ચાનાં સુભાષભાઈ ગાઈન હાજર રહયા હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button