આહવા એસ.ટી ડેપો ખાતે ‘વિશ્વ જાહેર પરિવહન’ દિવસની કરાઈ ઉજવણી

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
આહવા એસ.ટી ડેપો ખાતે ‘વિશ્વ જાહેર પરિવહન’ દિવસની કરાઈ ઉજવણી
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : વલસાડ વિભાગીય નિયામક શ્રી એન.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ વિભાગના તમામ ડેપો ખાતે તારીખ ૧૦ મી નવેમ્બરના રોજ ‘વિશ્વ જાહેર પરિવહન’ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જે કાર્યક્રમ અંતર્ગત આહવા એસ.ટી.ડેપો મેનેજર શ્રી કિશોરભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ આહવામાં પણ ‘વિશ્વ જાહેર પરિવહન’ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એસ.ટી. કર્મચારીઓ દ્વારા જાહેર મુસાફરોને પુષ્પ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્યની જીવાદોરી સમાન એસ.ટી.વિભાગની મુસાફરલક્ષી સેવાઓ અને વિવિધ યોજનાઓ અંગે માહિતી પૂરી પાડી એસ.ટી બસોનો મહત્તમ લાભ લેવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું.
ઉલેખ્ખનીય છે કે, હાલમાં નિગમ દ્વ્રારા દૈનિક ૪૨ હજાર થી વધુ ટ્રીપોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં દૈનિક ૨૭ લાખથી વધુ મુસાફરો એસ.ટીનો લાભ લઇ રહ્યાં છે. મુસાફરોની દૈનિક સુવિધાઓમા સતત વધારો થાય, પરિવહન સેવાઓનો મહત્તમ લાભ મુસાફરો મેળવે તે અંગે જાગૃતતા ફેલાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.