ડાંગ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી
જિલ્લાના માનવ અધિકાર સુરક્ષા પરિષદ પ્રમુખશ્રી ચંદરભાઈ ગીરજલી કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં સમાવિષ્ટ બરડીપાડા ખાતે વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શ્રી ચંદરભાઈ એન. ગીરજલી (ડાંગ – માનવ અધિકાર સુરક્ષા પરિષદના પ્રમુખશ્રી) ના નેતૃત્વમાં કરવામાં આવ્યો. ૧૦ ડિસેમ્બરને વિશ્વ માનવ અધિકાર દિવસ તરીકે માનવામાં આવે છે કારણ કે, ઈ. સ. ૧૯૪૮ માં ૧૦ ડિસેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) ની મહાસભાએ આ દિવસને વિશ્વ માનવ અધિકાર દિવસ તરીકે જાહેર કરેલ છે અને એક ઘોષણા પત્ર તૈયાર કરવામાં આવ્યું છે. ભારતીય બંધારણ ભાગ -3 માં અનુચ્છેદ 12 થી 35 મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનાં આધારે 10 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનો અને પધારેલા મહેમાનોને સંબોધનમાં પ્રમુખશ્રી એ જણાવ્યું હતું કે તેમનું સંગઠન સમગ્ર માનવ જાતને ન્યાય મળે તેના માટે નિચે મુજબનાં મુર્દાઓ પર ભાર આપે છે.
(1) લોકોને પોતાના હક્કો માટે જાગૃત કરવા,
(2) બાળ લગ્નો અટકાવવા,
(3) બાળમંજૂરી અટકાવવી અને તેના વિષે જાગૃતિ ફેલાવવી,
(4) મહિલાઓ પર થતા અત્યાચારો ને રોકવાં,
(5) પીડિત વ્યક્તિઓ ની મદદ કરવી,
(6) પ્રદુષણ રોકવા માટે પ્રયત્નો કરવા,
(7) પોલીસ પ્રસાસન ને સહયોગ આપવો,
(8) એડ્સ જેવા રોગો વિષે લોકોને જાગૃત કરવાં,
(9) વ્યસન મુક્તિ માટે લોકોને જાગૃત કરવાં,
(10) ભ્રસ્ટાચાર રોકવા માટે જાગૃતિ ફેલાવવી,
(11) અનાથ, વિધવા અને ગરીબ લોકો ને મદદ કરવી,
(12) ડાકણ પ્રથા ને જડમૂળ થી નાબૂદ કરવી.
આ બાબતે ડાંગ માનવ અધિકાર સુરક્ષા પરિષદ સંગઠન કામ કરે છે. આજના બરડીપાડા ખાતે કાર્યક્રમમાં વિધવા મહિલાઓને સાલ, રૂમાલ અને ગુલદસ્તાથી સન્માનિત કરવામાં આવી, વ્યસન મુક્તિ બાબતે જાગૃત કરવામાં આવ્યા, સમાજમાં જાતિ કે ધર્મ ભેદભાવ છોડી પ્રેમભાવથી રહેવું વગેરે વિષે જાગૃત કરવામાં આવ્યા.
મુખ્ય મહેમાનો શ્રી ગીરીશભાઈ ગામીત, શ્રી એલીશભાઈ વરઠા, શ્રી સતિષભાઈ ગાયકવાડ, ધૂળજીભાઈ ગામીત, શંકરભાઇ (દુકાનવાળા), લક્ષુભાઈ, મગનભાઈ, સાજનભાઈ વગેરે સુબીર તાલુકાના માનવ અધિકાર પરિષદ ના હોદ્દેદારો શ્રી રામજભાઈ વાઘમારે, માહરુભાઈ દેસાઈ, સોનુભાઈ વરઠા, મનોજભાઈ કાગડે, વિજયભાઈ ગાયકવાડ, કમલેશભાઈ ઝામરે વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી બન્યા હતાં.
જિલ્લા સંગઠન ના હોદેદારો : પ્રમુખશ્રી ચંદરભાઈ ગીરજલી, સેક્રેટરીશ્રી સુભાષભાઈ (લવચાલી), ઉપ પ્રમુખશ્રી ગિરીશ ગીરજલી, શ્રી રમણભાઈ ગામીત, શ્રી જીતેન્દ્રભાઈ, શ્રી હરેશભાઇ, શ્રી રોહિતભાઈ, શ્રી રાહુલભાઈ, શ્રી રમેશભાઈ (ભાલખેત), યોહાનભાઈ (ઘાણા) વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.