South Gujarat

નર્મદા જિલ્લામાં ઉતરાયણના તહેવારમાં ૧૫ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા માટે ખડે પગે તૈનાત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

નર્મદા જિલ્લામાં ઉતરાયણના તહેવારમાં ૧૫ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા માટે ખડે પગે તૈનાત:

સર્જન વસાવા, નર્મદા: ગુજરાતમાં ઉત્સવ પ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતી ઉતરાયણ આનંદ મેળાવડા અને ઉત્સાહ ભર્યા પળો લાવે છે. ઉતરાયણનો તહેવાર ૧૪ અને ૧૫ મી જાન્યુઆરી એમ બે દિવસ ઉજવવામાં આવે છે.

છેલ્લા ચાર થી પાંચ વર્ષના મળેલ આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને અને માર્ગ ઉપર ટ્રાફિકને કારણે ઇમરજન્સી માં વધારો થતો જોવા મળે છે. આ ઈમરજન્સીને પહોંચી વળવા નર્મદા ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ ૧૪ અને ૧૫ જાન્યુઆરી એમ બે દિવસ અપેક્ષિત ઈમરજન્સી ના વધારાને યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે સજ્જ છે.

પાછલા વર્ષોની માહિતીના આધારે, ગુજરાતમાં ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ આશરે ૨૮.૯૬ % અને ૧૫ મી જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ આશરે ૧૯.૮૦% જેટલા ઈમરજન્સી કોલ્સ માં વધારો નોંધાવાની શક્યતા છે. સામાન્ય દિવસોમાં આશરે ૩૮૦૯ જેટલા કોલ્સ નોંધાય છે જે ૧૪ મી જાન્યુઆરી ૨૦૨૫ એટલે કે ઉતરાણના દિવસે આશરે ૪૯૧૨ અને ૧૫ મી જાન્યુઆરી ૨૦૨૫ એટલે કે ઉત્તરાયણના બીજા દિવસે એટલે કે વાસી ઉત્તરાયણના રોજ ૪૯૧૨ જેટલા કેસમાં વધારો નોંધાવાની શક્યતા છે. ઉતરાયણનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

આ સાથે આ ઉત્સવ દરમિયાન ખાસ કરીને માર્ગ અકસ્માતના કેસો, ટ્રોમા નોન વેહિક્યુલર જેવા કે પડી જવાના, શારીરિક હુમલા અને માનવમાં દોરીથી કપાઈ જવાના કેસો વધુ હોય છે. આ તહેવારમાં સુરક્ષા એ પ્રાથમિકતા છે અને તમામ નાગરિકોને જવાબદારી પૂર્વક ઉતરાયણની ઉજવણી કરવા વિનંતી કરવામાં આવે છે. આ સાથે કોઈપણ ઈમરજન્સી ના કિસ્સામાં ૧૦૮ ડાયલ કરતા અચકાશો નહીં. આ ઉતરાયણને બધા માટે આનંદમય સલામત ઉજવણી બનાવીએ. જો નર્મદા જિલ્લાની વાત કરીએ તો નોર્મલ દિવસોમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં આશરે ૬૭ જેટલા કેસો નોંધાતા હોય છે પરંતુ ભૂતકાળના ડેટાનો પૃથ્થકરણ કરતા ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ આશરે ૧૦૩ કેસ એટલે કે ૫૩.૭૩% અને ૧૫ મી જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ ૬૧ જેટલા કેસો જોવા મળશે એ અનુમાન કરવામાં આવી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button