ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલમાં ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન કરાયું

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલમાં ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન કરાયું
સર્જન વસાવા, ભરૂચ: યુવક સેવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી અમદાવાદના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી ની કચેરી ભરૂચ દ્વારા આયોજિત ચિલ્ડ્રન પેન્ટિંગ વર્કશોપનું આયોજન ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું હતું.
આ ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ ના ઉદ્ધાટન પ્રસંગે આઇઆઇસીટી સંસ્થાના પ્રોજેક્ટ ડાયરેક્ટર હિરલ મેડમ, રાષ્ટ્રીય અંધજન મંડળના મહામંત્રી અને કલાપ્રેમી શિક્ષક એવા પ્રદીપભાઈ, સીઆરસી ઇમરાન પટેલ, માજી આચાર્ય યાકુબભાઈ અને અન્ય લોકો હાજર રહ્યા હતા.
આ પ્રસંગમાં આચાર્યશ્રી ઉસ્માન સુતરીઆએ ઉપસ્થિત તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપનું મહત્વ સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓમાં ચિત્રકલા પ્રત્યે રુચિ કેળવાય અને વિદ્યાર્થીઓ કલાના વિવિધ માધ્યમો અને વિષયોથી માહિતીગાર થાય તથા ભારતીય સંસ્કૃતિમાં કલાના મહત્વને સમજે તે વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું . આઈઆઈસીટી ના પ્રોજેક્ટ ડાયરેક્ટર હિરલ મેડમે વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે કલાના મહત્વ વિશે સમજ આપી હતી. પ્રજ્ઞાચક્ષુ અને કલાપ્રેમી એવા પ્રદીપ સાહેબે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિના કલા પ્રત્યે એમના લગાવને વિદ્યાર્થીઓમાં સંચાર થાય તેવું પ્રેરક ઉદબોધન કર્યું હતું. ત્યારબાદ મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને ચિત્રકલા માટેની કીટ વિતરણ કરવામાં આવી હતી.
આ વર્કશોપમા 100 થી વધુ બાળ કલાકારોએ ખૂબ જ ખંત અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પાંચ દિવસ ચાલેલા આ વર્કશોપમાં વિષય નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને ચિત્રકલાની વિવિધ વિષયો ઉપર વિસ્તૃત માહિતી અને પેઇન્ટિંગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપના સુંદર અને સફર આયોજન કરવા બદલ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી મીતા મેડમએ ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્યશ્રી ઉસ્માન સુતરીઆને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.