GSRTC ની આહવા સોનુનિયા એસટી બસ જીવતા બોમ્બ સમાન
આહવાથી સોનુનિયા જતી બસ ધુમખલ ગામે થઈ બ્રેકડાઉન, વારંવાર બ્રેકડાઉન થતા વિદ્યાર્થીઓ મુસાફરો પરેશાન

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
GSRTC ની આહવા સોનુનિયા એસટી બસ જીવતા બોમ્બ સમાન
આહવાથી સોનુનિયા જતી બસ ધુમખલ ગામે થઈ બ્રેકડાઉન, વારંવાર બ્રેકડાઉન થતા વિદ્યાર્થીઓ મુસાફરો પરેશાન
દિનકર બંગાળ, વઘઈ : “એસટી અમારી સલામત સવારી” સરકારના સુત્રને આહવા એસટી ડેપોના મેનેજરે વારંવાર કલંકિત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બસનું સંચાલન અને મેન્ટેનન્સ બાબતે વારંવાર ઉઠી રહ્યા છે અનેક સવાલો અને થઈ રહી છે બસ બ્રેકડાઉન, પરંતુ અત્યાર સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરી ન હોવાથી મેન્ટેનન્સ વગરની અને ખામીવાળી બસો ડાંગ જિલ્લાના રસ્તા પર દોડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, તા:24/06/2024 સવારમાં આહવાથી સોનુનિયા જવા નીકળેલી બસ GJ-18-Z-2840 ધુમખલ ગામનો ઘાટ ચડી શકી નહી અને બસની ખામીના કારણે બસ બ્રેકડાઉન થઈ હોવાનું બસના ચાલક પાસેથી જાણવા મળ્યુ હતું. ખરાબ અને ગુણવત્તા વગરની બસો ડાંગ જિલ્લામાં દોડી રહી છે. જવાબદાર અધિકારીઓ બસની ગુણવત્તા ચકાસણી કર્યા વગર બસો દોડાવી રહ્યા છે કે શું? તેવા સવાલો ઉઠવા પામ્યા છે. મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ?
આહવા સોનુનિયા એસટી બસ જીવતા બોમ્બ સમાન બની ગઈ હોવાનું મુસાફરી કરતાં મુસાફરો અને વિદ્યાર્થીઓ પાસેથી જાણવા મળ્યું છે કે, બસ રસ્તામાં બગડી જાય ,બસમાંથી મુસાફરોને ઉતારી દેવામાં આવે ત્યારે એસટી બસ ટેકરો કે ઘાટ ચડાવવામાં આવે છે. તો બસનું મેન્ટેનન્સ કેમ કરવામાં આવતું નથી ખરાબ ખામીવાળી બસો કેમ રસ્તા પર અધિકારીઓ દોડાવી રહ્યા છે.
ગરીબ મુસાફરો બસમાં ભાડું પોસાય માટે જીવનાં જોખમે મુસાફરી કરી રહ્યા છે. શું ગરીબ મુસાફરો મુસાફરી કરતાં હોય તો સારી અને ભૌતીક સુવિધા વાળી બસમાં બેસવાનો અધીકાર નથી.
વલસાડ ડિવિઝન સંચાલિત આહવા બસ ડેપોની બસો બ્રેકડાઉન થવાનો સિલસિલો ક્યારે બંધ થશે તેની વાટ આતુરતાથી ડાંગ જિલ્લાના મુસાફરો અને વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે.