NATIONAL

ભારત બંધની સમગ્ર  ગુજરાતભર માં મિશ્ર પ્રતિસાદ: દક્ષિણ ગુજરાત સજ્જડ બંધ:

શ્રોત:  ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં એસસી-એસટી અનામતના સંદર્ભમાં પેટા જાતિના વર્ગીકરણ તેમજ ક્રિમીલેયરના મુદ્દે સર્વે માટેનો ચુકાદો આપવામાં આવ્યો  હતો. આ ચુકાદાની સામે વિરોધ દર્શાવવા માટે  સમસ્ત એસ.સી.-એસ.ટી. સમાજ ના અનેક સંગઠનો દ્વારા 21 ઓગસ્ટે એટલે કે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.  ત્યારે આજે  રાષ્ટ્ર વ્યાપી બંધની સમગ્ર  ગુજરાતભર માં મિશ્ર પ્રતિસાદ  જોવા મળ્યો છે, ત્યારે સમગ્ર   દક્ષિણ ગુજરાત સજ્જડ બંધ જોવા મળ્યું હતું.  

પરંતુ રાષ્ટ્ર વ્યાપી બંધમા તંત્ર, પોલીસ, મેડિકલ અને ફાયર સહિતની ઈમરજન્સી સેવાઓને બાકાત રાખી બંધ વખતે સામાન્ય નાગરિકોને સહકાર આપવાની એસ.ટી.-એસ.ટી. મંચ દ્વારા અપીલ કરાઈ છે. 

દક્ષિણ ગુજરાત માં  બજારો સ્વયંભૂ બંધ જોવા મળ્યા હતા, જ્યારે અમુક શહેરી  વિસ્તારોમાં બજારો ખુલ્લા પણ હતા. ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાં ભારે સમર્થન મળ્યું છે. ગુજરાતના દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, દાંતા, અરવલ્લી, તાપી,  નર્મદા, ડાંગ, નવસારી, છોટા ઉદેપુર સહિતના જિલ્લા પણ આ બંધમાં જોડાયા છે. હડાદ, દાંતા, મંડાલી, ઇડર, ડાંગ , સાબરકાંઠા,વ્યારા, સોનગઢ, ડોલવણ , ઉમરપાડા, વલસાડ સહિત નર્મદા જિલ્લામાં પણ બંધની સારી અસર જોવા મળી હતી.  બીજી તરફ સાપુતારા થી નાશિક શિરડી તરફ જતો રસ્તો બંધ રહેશે  અને બોરગાવ આરટીઓ ચેક પોસ્ટ પર એનસીપી દ્વારા રસ્તા રોકો આંદોલન ની જાહેરાત કરવામાં આવી હતી.

અનામત બચાવોના મુદ્દે ભારત બંધના એલાન દરમિયાન જામનગરમાં અનુસૂચિત જાતિ દ્વારા ચક્કાજામ , વડોદરામાં ઘર્ષણ, પાટણમાં ચક્કાજામ, અમદાવાદ અને પાટણમાં દલિત સમાજના લોકોએ રસ્તા રોકી ચક્કાજામ કરતાં પોલીસે અટકાયત કર્યા હતા જયારે  ગાંધીનગરમાં મોટી સંખ્યામાં એસટી-એસસી સમાજના લોકો એકઠા થયા હતા  અને તેમણે વિરોધ પ્રદર્શન કરી રેલીનું આયોજન કર્યું હતું. સુરતમાં એસસી-એસટી સમાજના લોકો દ્વારા રિંગરોડ પર આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નારેબાજી કરીને રેલી યોજવામાં આવી હતી. જે રેલી કલેકટર કચેરીએ પહોંચીને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતુ , સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે વિરોધ દર્શાવવા આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ 21મી ઓગસ્ટ એટલે કે આજે  ભારત બંધ ની જાહેરાત કરી છે. ઘણા દલિત સંગઠનોએ ભારતને સમર્થન આપ્યું હતું. બસપાએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે.  રાજસ્થાન ના જયપુર માં સજ્જડ બંધ જોવા મળ્યું હતું અને બિહારમાં ભીમસેના દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો.  બિહારના અલગ અલગ શહેરોમાં સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. બંધ દરમ્યાન પટનામાં પોલીસ પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

આ ઉપરાંત ભારત બંધના પગલે પોલીસ પણ એલર્ટ થઇ છે. ખાસ કરીને આદિવાસી જિલ્લામાં પોલીસ પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવાયું છે. આમ રાજ્યમાં  કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતિનો ભંગ ન થાય તે માટે પોલીસ સતર્ક બની છે. 

સુપ્રીમ કોર્ટે ચુકાદામાંં શું કહ્યું હતુ?

સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે જો અન્ય પછાત વર્ગ (ઓબીસી), અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) કેટેગરીના મેરીટોરીયસ વિદ્યાર્થીઓ તેમની યોગ્યતાના આધારે સામાન્ય ક્વોટા(જનરલ) ની બેઠકો પર પ્રવેશ મેળવવા માટે હકદાર હોય તો તેમને અનામતવાળી બેઠકો પર એડમિશન ન આપવો જોઇએ.  જસ્ટિસ બી.આર. ગવઈ અને કે.વી.વિશ્વનાથનની બેન્ચે મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયની સામે રામ નરેશ ઉર્ફે રિંકુ કુશવાહા અને અન્ય લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને સ્વીકારતી વખતે આ ચુકાદો આપ્યો હતો. ચુકાદામાં બેન્ચે કહ્યું કે જો OBC, SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓ તેમની યોગ્યતાના આધારે બિનઅનામત એટલે કે સામાન્ય ક્વોટામાં પ્રવેશ મેળવવા માટે હકદાર હોય તો તેમને માત્ર બિનઅનામત બેઠકો પર જ પ્રવેશ મળવો જોઈએ.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button