Crime
નવું મકાન બનાવવાના ઝઘડામાં પત્નીની હત્યા કરી નાખી પતિએ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ
નવું મકાન બનાવવાના ઝઘડામાં પત્નીની હત્યા કરી નાખી પતિએ:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના પાંઢરપાડા ગામ ખાતે રહેતા કમલેશભાઈ માંગ્યાભાઈ પવાર (ઉ.વ.૪૩) અને તેની પત્ની સવિતાબેન (ઉ.વ.૪૨) વચ્ચે પ્રધાનમંત્રી આવાસનાં મકાન બનાવવાના કામ બાબતે ઝઘડો થતા ગુસ્સામાં આવી કમલેશભાઈ પવારે કુહાડીથી પત્ની સવિતાબેન પર હુમલો કર્યો હતો.
કુહાડી વડે જડબાના ભાગે ઘા મારતા તથા લાકડાનો દંડો વડે પત્નીને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. જેમા પત્નીનું કરુણ મોત થયું હતુ. સુબીર પોલીસે હત્યાનો ગુનો નોંધી પીએસઆઈ કે.જે.ચૌધરીની ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપી પતિની ધરપકડ કરી હતી.અને આગળની કાનુની કાર્યવાહી હાથ ધરી છે.