નર્મદામા નીચલી માથાસર ગામે પ્રાથમિક શાળાએ જર્જરીત ઓરડાના કારણે ૧ થી ૮ ના વિધાર્થીઓ એકજ ઓરડે ભણતા : ચિન્તાજનક

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
નર્મદામા નીચલી માથાસર ગામે પ્રાથમિક શાળાએ જર્જરીત ઓરડાના કારણે ૧ થી ૮ ના વિધાર્થીઓ એકજ ઓરડે ભણતા : ચિન્તાજનક
સર્જન વસાવા, ડેડિયાપાડા: ગુજરાતમાં એક તરફ પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો કરાય છે. બીજી તરફ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નીચલી માથાસર ગામે પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત થઈ ગયાં છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નીચલી માથાસર શાળાના ઓરડા જર્જરિત બનતા બાલવાટિકા સહિત ધોરણ ૨ થી ૮ ના બાળકો એકજ ઓરડામા બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. અને બાલવાટિકા સહિત ધોરણ 1 થી ૮ માં ફક્ત બે શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે જે જિલ્લામાં વિશ્વની સૌથી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલ છે. જેનાથી બિલકુલ નજીક 10 થી 15 કિલોમીટરના અંતરમાં આવેલ આ ગામ આધુનિક યુગમાં પણ અહીંના આદિવાસી બાળકો સુવિધાઓ થી આજે પણ વંચિત છે.
ડેડીયાપાડા તાલુકાના નીચલી માથાસર ગામે ધોરણ ૧ થી ૮ પ્રાથમિક શાળા આવેલી છે જેમાં જૂની શાળાના ઓરડા જર્જરિત થતા તંત્ર દ્વારા હજુ પણ કોઈ કાર્યવાહી હાથ ધરી તેને જર્જરીત જાહેર કરવામાં આવેલ નથી. પરંતુ જોખમ વચ્ચે પ્રાથમિક શાળાનો એક ઓરડો નવો બનેલો છે તેમાં એકજ ઓરડામા બાલવાટિકા અને ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે.
જયારે એક સાથે બે શિક્ષકો બાલવાટિકા અને ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને એકજ ઓરડામા વર્ગો ચલાવી શિક્ષકો હાલ અભ્યાસ કરાવી રહ્યા છે જયારે શિક્ષકને બેલ્ક બોર્ડ ઉપર લખવા માટે પણ જગ્યાનો અભાવ રહે છે. આવી સ્થિતિમાં આદિવાસી બાળકો અભ્યાસ કરવા મજબુર બન્યા છે ત્યારે છેવાડા ના આ ગામડામાં અધિકારીઓને શાળાની મુલાકાત લેવાનો સમય નથી.
સરકાર આદિવાસી વિસ્તારનો વિકાસ કર્યો નો ગાણું ગાય છે પરંતુ આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળા એ એક શિક્ષણનું પ્રથમ પગથિયું છે અને શાળાના ઓરડામાં બેસીને અભ્યાસ કરે તે પ્રાથમિક સુવિધા છે તે પણ સરકાર પુરી પાડે શક્તિ નથી જયારે ઉત્સવોમાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે તે રૂપિયા શાળાના ઓરડા પાછળ વાપરવામાં આવે તો બાળકોને પાયાનું શિક્ષણ સારું મળે તેમ છે પરંતુ આદિવાસી વિસ્તારનાં નેતાઓ અને સરકારના અધિકારીઓ બાળકોની મજબૂરી સમજતા જ નથી અને સુવિધા પૂરી પાડી શકતા નથી.
સરકારનાં અધિકારીનાં અને રાજકીય નેતાઓના બાળકો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા હોવાથી તેઓ આદિવાસી વિસ્તારની શાળાઓ ઉપર ધ્યાન આપતા નથી જેનાથી ગરીબ આદિવાસી બાળકો મજબૂરીમાં ગમે તેવી સ્થિતિમા અભ્યાસ કરી રહ્યા છે.
શાળાના આચાર્યના જણાવ્યા મુજબ શાળામાં જૂના મકાનમાં બંને ઓરડાઓ જર્જરિત છે 2શિક્ષકો છે જયારે એક શિક્ષક ઓરડામાં અભ્યાસ કરાવે છે ત્યારે બીજા શિક્ષક ક્યાં બેસે તે પણ સવાલો ઉદભવી રહ્યા છે.



