કોલેજમાં રેગિંગ સામે સલામતીના પાઠ ભણાવી ‘ઝીરો ટોલેરન્સ પોલિસી’ વિશે માહિતગાર કરાયા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
આહવા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમા છાત્રોને રેગિંગ સામે સલામતીના પાઠ ભણાવી ‘ઝીરો ટોલેરન્સ પોલિસી’ વિશે માહિતગાર કરાયા ;
કોલેજમા એન્ટી રેગિંગ સમિતિ અને CWDC સમિતિ અંતર્ગત એન્ટી રેગિંગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો ;
ડાંગ,આહવા: સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે એન્ટી રેગિંગ સમિતિ અને CWDC સમિતિના સંયુક્ત ઉપક્રમે એન્ટી રેગિંગ જાગૃતિ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.
એન્ટી રેગિંગ જાગૃતિ કાર્યક્રમમા આહવા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી દીપકભાઈ પિંપળે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમણે કોલેજમાં ગઠિત એન્ટી રેગિંગ સમિતિ ન્યાય માટે વિદ્યાર્થીઓને મદદરૂપ થશે એમ કહીને એમને પ્રોત્સાહિત કર્યા, અને વિદ્યાર્થીઓને કોઈ પણ ફરિયાદ હોય તો સામાજિક ન્યાય સમિતિને ફરિયાદ કરવા જણાવ્યુ હતુ.
લોકપાલ, જિલ્લા મનરેગા શ્રી કમલહુસેન શેખ જેઓ કાર્યક્રમમા વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આ પ્રસંગે રેગિંગ ઉદભવના કારણો જણાવી તેને નિવારણ માટે આપણે જાતે જ સક્ષમ બનવુ પડશે, અને ઘણા ઉદાહરણો જણાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વધુમા જણાવ્યુ કે, રેગિંગનું સ્વરૂપ પ્રથમ હકારાત્મક રૂપમા હોય, અને પછી તે અજાણે નકારાત્મક રૂપ ધારણ કરી લેતું હોય છે. વિદ્યાર્થીઓએ પ્રથમ તબક્કામા જ તેને રોકાવુ જોઈએ.
કોલેજ આચાર્યશ્રી ડૉ. ઉત્તમભાઈ ગાંગુર્ડે દ્વારા રેગિંગનું ઉદાહરણ આપી રેગિંગ શું છે. તેનાથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. કોલેજ એન્ટી રેગિંગ સમિતિના અધ્યક્ષ પ્રા. આશુતોષ કરેવાર એ વિદ્યાર્થીઓને રેગિંગ ઘટનાની ફરિયાદ કેવી રીતે કરવી અને રેગિંગ કરનાર વ્યક્તિઓ સામે થનાર કડક કાર્યવાહીની માહિતી આપી હતી. પ્રા. વિલાસીનીબેન પટેલ દ્વારા આભારવિધિ કરવામા આવી હતી.
કોલેજમા એન્ટિરેગીંગ સમિતિ ઉપરાંત અન્ય સમિતિઓની રચના આચાર્યના માર્ગદર્શન હેઠળ કરવામા આવી છે. આ તમામ કમિટઓમા એન્ટિ રેગિંગ કમિટી દ.ગુજરાત યુનિવર્સિટીના આદેશ મુજબ દરેક કોલેજોમા બનાવવાની હોય છે.
એન્ટિરેગિંગ કમિટીમાં આચાર્ય અને વિદ્યાર્થીઓને સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવે છે. તેઓનુ મુખ્ય કામ કોઇપણ વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા શારીરિક કે માનસિક ત્રાસ ન અપાય અને કોઇ ત્રાસ આપે તો તેના ઉપર યુનિવર્સિટિ એક્ટ મુજબ કાર્યવાહી કરવામા આવતી હોય છે.