ડાંગ જિલ્લાના આદિવાસીઓ અમાસના નવા દિવસે હનુમાન દાદા અને ગાય દેવીની પૂજા કર્યા બાદ જ “તેરા સન”ની ઉજવણી કરતા હોય

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લાના આદિવાસીઓ અમાસના નવા દિવસે હનુમાન દાદા અને ગાય દેવીની પૂજા કર્યા બાદ જ “તેરા સન”ની ઉજવણી કરતા હોય
ડાંગના આજે અનેક ગામોમાં અમાસના નવા દિવસની ઉત્સાહભેર રીતે દેવી દેવતાઓની પૂજા કરવામાં આવી
દિનકર બંગાળ, વઘઈ: અષાઢ મહિનાની શરૂઆત થતાં જ અમાસના નવા દિવસનો પ્રારંભે જેનો અતૂટ ઇતિહાસ વિશે થોડું સમજીએ, આ અમાસના દિવસે ડાંગના આદિવાસી લોકો શેની પૂજા કરતા હોય છે. શું છે એનું મહત્વ તેના વિશે આઓ જાણીએ.
અષાઢી અમાસનો દિવસ એટલે કે, નવો દિવસ શરૂઆત થઈ એવું ડાંગના આદિવાસી લોકો વર્ષોથી કહેતા હોય છે. ત્યારે ડાંગ જિલ્લાના અનેક ગામોમાં ગામના મંદિરમાં હનુમાનજી, ગાય દેવી અને વાઘ દેવની પૂજા કરવામાં આવતી હોય છે.
જ્યારે ગામના વડીલ દ્વારા ભક્તિ કરવામાં આવે છે. જેથી ગામમાં કોઈ બીમારીઓ ન આવે કે, કઈ વસ્તુ રાતના ગામમાં ન આવે અને સારી એવી ખેતી ઉપજ મળે તેમજ ગામના લોકો તથા પરિવાર સુખ-શાંતિ રહે અને રતી-બરકતી ન થાય એના માટે વર્ષોથી વડીલો દ્વારા પૂજા કરવામાં આવતી હોય છે.
હનુમાનજીનું મંદિરની બાજુમાં જે પૂજા કરવામાં આવે છે તે ગામની રક્ષા માટેની હોય છે. ત્યારે વડીલો દ્વારા સુપડામાં ચોખા નાખીને મરઘાને મનાવવામાં આવે છે. જેમાં ગાય દેવીને મરઘી (એટલે કે ડાંગી ભાષામાં તેને તલગ કહે છે), ગીરસ્યા દેવને નાનો મરઘો (જેને ડાંગી ભાષામાં ટોળ્યા કહે છે) અને વાઘદેવને મરઘો મનાવવામાં આવે છે. જે ગામની રક્ષા માટે મરઘી-મરઘાની બલી ચઢાવવામાં આવતી હોય છે.
હનુમાનજીની પૂજા કરવામાં આવેલ તે સમયે ચોખા અને સિંદૂર એ ગામના બે વડીલો દ્વારા ગામના ચારે સીમા પર થાપણ એટલે કે પથ્થર પર કે જ્યાં દર વર્ષે બે વખત જેમાં વાઘ બારસના દિવસે અને આજે અમાસના દિવસે ચોખા સિંદૂર લગાડવામાં આવે છે અને ત્યાં ધ્વજા પણ લગાડવામાં આવે. અને ત્યારબાદ જ “તેરા સન” તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. તે આજે પણ ડાંગની સંસ્કૃતિ વડલો પાર્જીત જળવાઈ રહી છે. તેમજ ડાંગના આદિવાસીઓ દ્વારા “ઠાકર્યા નૃત્ય” પણ કરવામાં આવતો હોય છે.
“તેરા સન” અમાસ તહેવારની ઉજવણી કર્યા બાદ જ રોપણીનો પ્રારંભ કરવામાં આવતો હોય છે. પણ આજે ડાંગ જિલ્લાના અમુક ગામોમાં જળવાતી નથી તે પણ સફેદ સત્ય છે.