Religious

આત્મજાગરણથી રાષ્ટ્રજાગરણ અન્વયે સમર્પણ દીપ આધ્યાત્મ મહોત્સવ યોજાશે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

આત્મજાગરણથી રાષ્ટ્રજાગરણ અન્વયે સમર્પણ દીપ આધ્યાત્મ મહોત્સવ યોજાશે:

કમલેશ ગાંવિત, વાંસદા: નવસારી જિલ્લાના વાંસદાના દંડકવન આશ્રમ વાંસિયા તળાવ ખાતે સોમવાર તારીખ 14 જુલાઈ સાંજે 6:00 થી 9: 00 કલાકે વિહંગમ યોગ સંત સમાજના 102 મો વાર્ષિક ઉત્સવના પાવન પ્રસંગે “સમર્પણ દીપ આધ્યાત્મ મહોત્સવ” નું ગુજરાત રાજ્યમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. “આત્મજાગરણથી રાષ્ટ્રજાગરણ” ના ઉદ્દેશ્ય સાથે ચાલી રહેલી “જય સ્વર્વેદ યાત્રા” કાશ્મીરથી કન્યાકુમારી સુધીના સંદેશ સાથે લોકોમાં આત્મીય જાગૃતિ લાવવા માટે અહિં વાંસદા ખાતે આવી રહી છે.

આ મહોત્સવ અંતર્ગત વિહંગમ યોગ સંત સમાજ દ્વારા દંડકવન આશ્રમ, વાંસીયા તળાવ, વાંસદા ખાતે સોમવાર, તા. 14 જુલાઈના રોજ સાંજે 6 થી 9 વાગ્યા સુધી શ્રી. પ.પૂ. સદગુરુ ઉત્તરાધિકારી તથા વિજ્ઞાનદેવજી મહારાજની “જય સ્વર્વેદ કથા” નું ભક્તિસભર આયોજન કરવામાં આવ્યું છે.

આ સમગ્ર આયોજન બાબતે જણાવવાનું કે, આગામી 25-26 નવેમ્બર 2025ના રોજ સ્વર્વેદ મહામંદિર ધામ, વારાણસી, ઉત્તર પ્રદેશ ખાતે 25 હજાર કુંડીય સ્વર્વેદ જ્ઞાન મહાયજ્ઞનું વૈશ્વિક સ્તરે ભવ્ય આયોજન થનાર છે. આ મહાયજ્ઞ અને કથામાં સહભાગી થવા માટે તમામ ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓને વિહંગમ યોગ સંત સમાજ ગુજરાત તરફથી હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. સાથે કાર્યક્મ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદ નું આયોજન કરવામા આવ્યું છે.

આથી સૌ ધર્મપ્રેમી નાગરિકોએ આ પાવન સમાગમનો ભવ્ય કાર્યક્રમમાં લાભ લેવા માટે આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button