NATIONAL

પૂર્વ સૈનિકોના સંતાનો માટે ગૌરવ સેનાની ભવન સરથાણા, સુરત ખાતે નવનિર્મિત હોસ્ટેલમાં પ્રવેશ લેવા જોગ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો માટે ગૌરવ સેનાની ભવન, સરથાણા, સુરત ખાતે નવનિર્મિત હોસ્ટેલમાં પ્રવેશ લેવા જોગ: 

તાપી : શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો કે જેઓ સુરત ખાતે આવેલ શૈક્ષણીક સંસ્થાઓમાં ધોરણ ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે અત્રેની કચેરી હસ્તકના ગૌરવ સેનાની ભવન, સરથાણા ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવેલ છે. આ છાત્રાલયમાં એડમીશન મેળવવા ઈચ્છુક શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનોના માતા-પિતા એ અત્રેની કચેરીનો રૂબરૂ સંપર્ક કરી તારીખ ૦૯ જુલાઈ ૨૦૨૩ સુધીમાં અત્રેની કચેરીને મળી રહે તેમ નમુના મુજબનું એડમીશન ફોર્મ મેળવી લેવા જણાવવામાં આવે છે.
વધુ વિગત માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના ટેલિફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦ / ૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કરવું એમ મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વવસવાટ અધિકારી સુરતની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button