ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો:
કમલેશ ગાંવિત, વાંસદા: આજરોજ ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે શ્રીયમ એમ.પી.કાપડિયા વિદ્યામંદિર શાળાનો પ્રવેશોત્સવ કાર્યક્રમની રંગે ચંગે ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
સૌપ્રથમ શાળામાં પ્રવેશ મેળવનાર બાલવાડી તેમજ પ્રાથમિક વિભાગનાં બાળકો ધોરણ 9 તેમજ 11 માં પ્રવેશ મેળવનાર નવા વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રણવ મંદિર પગે પડી સંસ્થાના સ્વામી એવા શ્રી વિશ્વરૂપાનંદ મહારાજનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સ્વામીશ્રી દ્વારા પ્રસાદ રૂપે દરેક બાળકોને બિસ્કીટ તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સંસ્થા સંચાલિત સ્વામી પ્રણવ હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે નવસારી ક્ષત્રિય સમાજમાંથી પધારેલ દાતાશ્રીઓ અશોકભાઈ ખત્રી દ્વારા તમામ બાળકોને શૈક્ષણિક કીટ તેમજ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મફત યુનિફોર્મ તેમજ પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે સંસ્થાના મંત્રી સ્વામીશ્રી વિશ્વારૂપાનંદ મહારાજ સંસ્થાના ટ્રસ્ટી શ્રી સુરેશ થોરાટ સંસ્થાના શ્રી નિમિષભાઈ વ્યાસ ઉમરકુઈ હરીઓમ વનવાસી છાત્રાલયના પ્રમુખ શ્રી નિલેશભાઈ ગાવિત તેમજ સંસ્થાના શ્રી રાજુભાઈ ભાવેશભાઈ તેમજ શાળાના આચાર્ય શ્રી મણીલાલ પટેલ તેમજ ડાયરેકટર શ્રી કિશોરભાઈ પટેલ પ્રાથમિક વિભાગનાં આચાર્ય શ્રી હિમ્મત ચૌહાણ તેમજ વાલીમીત્રો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શિક્ષકશ્રી ધનસુખભાઈ તેમજ ટ્વિંકલભાઈ એ કર્યું હતું. શાળાનાં બાળકોએ પ્રવેશોત્સવ નિમિતે વિવિધ કૃતિઓ રજુ કરી હતી.