સોનગઢ તાલુકાના ચિમેર, સાદડવેલ અને સોનગઢ નગરપાલીકા ખાતે વન સેતુ ચેતના યાત્રા યોજાશે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના ચિમેર, સાદડવેલ અને સોનગઢ નગરપાલીકા ખાતે વન સેતુ ચેતના યાત્રા યોજાશે:
તા.૧૮મી થી ૨૨મી જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ તાલુકાઓમાં વન સેતુ ચેતના યાત્રા યોજાશે:
તાપી: રાજ્ય સરકારશ્રી દ્વારા આદિજાતિ બાંધવોને સ્પર્શતી ૫ દિવસની તા.૧૮/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી રાજ્યનાં આદિજાતિ જિલ્લાઓમાંથી પસાર થતી “વન સેતુ ચેતના યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાને અનુલક્ષીને નવસારી, ડાંગ, સોનગઢ, સુરત, ભરૂચ, તાપી, છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાના વિવિધ સ્થળો પર યાત્રા કાર્યક્રમ યોજાશે.
પાંચ દિવસીય આ યાત્રા તા.૧૮-૦૧-૨૦૨૪ના રોજ સવારે ૦૯.૦૦ કલાકે નવસારીના ઉનાઇ માતા મંદિરથી પ્રસ્થાન કરશે. ડાંગ જિલ્લા ખાતે વિવિધ સ્થળોએ યાત્રાના કાર્યક્રમ પુર્ણ કરી તાપી જિલ્લામાં આજે તા.૧૮ જાન્યુઆરીના રોજ બપોરે ૦૪.૩૦ કલાકે સોનગઢ તાલુકાના ચિમેર ખાતે યાત્રાનું સ્વાગત કરાશે. ત્યાર બાદ ૦૫.૧૫ કલાકે સાદડવેલ ખાતે અને ૦૫.૪૫ કલાકે સોનગઢ તાલુકાના ઓટા ચાર રસ્તા ખાતે કાર્યક્રમ યોજાશે. તાપી જિલ્લા ખાતે કાર્યક્રમ પુર્ણ થયા યાત્રા સુરત તાલુકાના માંડવી જવા રવાના થશે.
નોંધનિય છે કે, આ યાત્રા દરમ્યાન વનસહભાગી મંડળીઓ જોડે મુલાકાત અને સંવાદ, મહિલા સ્વસહાય જૂથો સાથે મુલાકાત, વિશેષ સિધ્ધી પ્રાપ્ત કરનાર આદીવાસીઓનું સન્માન, સરકારનાં ૨૦ વર્ષની સિધ્ધીઓનો અહેવાલ, રામમંદીર પ્રાણ પ્રતિષ્ઠાની સકારાત્મક ઉજવણી, સરકારી યોજનાઓની સમીક્ષા, એફ.આર.એનાં લાભો, યાત્રી સભા, જંગલ વિસ્તારનાં ગામોમાં વસતા આદિજાતિ સમુદાયના લોકોને મળી રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાઓનું નિરાકરણ થાય જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ સાથે યાત્રા દરમિયાન યાત્રાના રૂટ અનુસાર માર્ગમાં આવતા પ્રસિદ્ધ મંદીરોએ દર્શન કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.