ગુજરાતમાં નકલી નકલી વચ્ચે ડાંગ જિલ્લામાં સામે આવ્યો નકલી કૌભાંડ
બારીપાડા ખાતે બનાવવામાં આવતી રિસોર્ટના પુરાવા, તપાસ કરતાં નકલી નીકળ્યા

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ
ગુજરાતમાં નકલી નકલી વચ્ચે ડાંગ જિલ્લામાં સામે આવ્યો નકલી કૌભાંડ
બારીપાડા ખાતે બનાવવામાં આવતી રિસોર્ટના પુરાવા, તપાસ કરતાં નકલી નીકળ્યા
સાપુતારા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ: મેન સૂત્રધાર ફરાર
દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લામાં રિસોર્ટ ગરીબ આદિવાસીઓ પાસેથી નજીવી આવકનો લાલચ આપી ગેરકાયદેસર કરારો કરીને જમીન પચાવી પાડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લામાં ગરીબ આદિવાસીઓ પાસેથી જમીન લઈ જમીનના ભાડા કરારો કરી ૭૩-AA ડાંગ જિલ્લાની આદિવાસીઓની જમીન પર અસામાજિક તત્વો એવા ભુમાફિયાઓએ કબજો કરી જિલ્લાનુ કુદરતી સૌંદર્યને વેરવિખેર કરી નાખ્યું છે. આદિવાસીઓની જમીનમાં રિસોર્ટના નામે જમીનમાંથી મોટા મોટા કિંમતી ઈમારતી વૃક્ષોનું કટીંગ કરવામાં આવે અને ફળદ્રુપ જમીનને નુકસાન થઈ રહ્યું છે. છતાં સ્થાનિક વન વિભાગ કે, ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર કોઈ પણ જાતના નક્કર પગલાં લેવામાં આવતા નથી. અને આદિવાસીઓની જમીન પચાવી પાડવા માટે અસામાજિક તત્વોને મોકળુ મેદાન મળી રહ્યું છે. જ્યારે બારીપાડા ખાતે ખાતા નંબર ૧૨૦ અને સર્વે નંબર ૧૨૧ માં ગેરકાયદેસર રિસોર્ટના નામે કોન્ક્રીટ અને ઇટની પાકી દીવાલો સાથે ચણતર કરી બાંધકામ કરવામાં આવેલ જેનો અહેવાલ તા: ૧૩/૦૬/૨૦૨૪ ના રોજ છાપામાં પ્રકાશિત થતા જિલ્લાના વહીવટીતંત્ર એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અને તમામ બાબતો સ્પષ્ટ થઈ છે.
બિનખેતી અંગેનો કલેકટરનો હુકમ નકલી
અહેવાલ છાપામાં પ્રકાશિત થતા જ જિલ્લાના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી કે, ૭૩-AA ડાંગ જિલ્લાના આદિવાસીઓની ખેતીની જમીનને બિનખેતીમા પરાવર્તીત કરીને જ કોઈ પણ જાતની પ્રવૃત્તિઓ કરી શકાય છે. પરંતુ બારીપાડાની જમીનનો બિનખેતી અંગેનો પ્રમાણપત્ર નકલી બનાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું તેમ તપાસીક રિપોર્ટમા સામે આવ્યું છે. જે બિનખેતી અંગેનો પ્રમાણપત્ર જિલ્લાના કલેક્ટરશ્રી જ આપી શકે છે. તે આદેશપત્ર પ્રમાણપત્ર જ નકલી (બનાવટી) નીકળ્યો છે.
પાંચ ઈસમો ઉપર FIR
નકલી અને બનાવટી બિનખેતી અંગેનું પ્રમાણપત્ર બાબતે આરોપી (૧) રમણભાઈ બુધાભાઈ દેશમુખ (રહે.બારીપાડા, તા.વઘઈ જિ.ડાગ) (૨) મહેશભાઈ દામુભાઈ પવાર (રહે.ખાતળ તા.વઘઈ જિ.ડાગ (૩)પ્રકાશભાઈ ઉત્તમભાઈ પટેલ (રહે.વાસદા તા.વાંસદા જિ.નવસારી)
(૪)રાજુભાઈ એસ ભોયે (જિ.ડાંગ)
(૫) અવધેશભાઇ (સુરત શહેર) નાઓ પર સાપુતારા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે.
જિલ્લાના અધિકારીઓની તપાસ
• પ્રાંત અધિકારીશ્રીનો ૪/૭/૨૦૨૪ નો રિપોર્ટ
• ખાતેદારને આપેલી ૧૩/૬/૨૦૨૪ નોટિસની નકલ
• ૧૪/૬/૨૦૨૪ ના રોજ ખાતેદારનો જવાબની નકલ
• સર્કલ ઓફિસરનો મામલતદારને કરેલ ૨૮/૬/૨૦૨૪ નો રિપોર્ટ
• મહેશભાઈ દામુભાઈ પવારે નકલો રજૂ કરેલી યાદી
• જમીન ભાડે રાખનાર મહેશભાઈ પવારે 30 વર્ષનું ભાડા કરારની નકલ
• બિનખેતીનો પરવાનગી આપતો બનાવટી એટલે કે નકલી હુકમ
• ૧/૭/૨૦૨૪ ના રોજે ખાતેદાર રમણભાઈ બુધાભાઈ દેશમુખનો જવાબ
• ૧/૭/૨૦૨૪ જમીન ભાડે રાખનાર મહેશભાઈ ધમુભાઈ પવારનો જવાબ
• ૧૬/૦૩/૨૦૨૩ નો યશવંતભાઈ લોટીયાભાઈ ઠાકરેની મોજે માલેગાવ બ્લોક નંબર ૧૭૫ ના ૫૦૦ ચો.મી ખેતીનો હુકમની નકલ
સરકારી અધિકારીઓ તપાસના પુરાવા મુજબ તમામ આધાર પુરાવા અને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના રિપોર્ટ મુજબ સાપુતારા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે.
ખાતળ ગામનો મહેશભાઈ દામુભાઈ પવાર એ નામદાર નેતાઓનો હાથ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. તો રાજકીય સપોર્ટ હોવો એમા કોઈ બે મત નહિ.
સાપુતારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર
સાપુતારા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા અમારી ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી દિધો છે. તપાસની ગતિ તેજી કરી દિધી છે. અને જવાબદાર કસૂરવારને કડકમાં કડક સજા થાય તેમ અમારા પ્રયત્નો છે. કસુરવારને છોડવામાં આવે નહીં તેમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.ઝેડ.ભોયા એ જણાવ્યું હતું.
સાપુતારા પોલીસ સ્ટેશને બારીપાડા ખાતે બનાવવામાં આવતી રિસોર્ટ ગેરકાયદેસર હોવાથી અને બિનખેતી અંગેનો પ્રમાણપત્ર નકલી હોવાથી સમગ્ર ડાંગ જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. અને ડાંગ જિલ્લામાં બનાવવામાં આવેલી તમામ ગેરકાયદેસર ટેન્ટ હાઉસો ચલાવવામાં આવતો ગોરખ ધંધો કરનાર ભુમાફિયાઓમાં ફફડાહટ ફેલાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.